ખેત-રસાયણોનાં સલાહકાર ફિલીપ્સ મેક ડાગલે આપેલા આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૦૭ માં વિશ્વનો પાકસંરક્ષણ માટેનાં જંતુનાશકનો વ્યાપાર ૩૩.૧૦ અજબ ડોલરનો હતો. આ પૈકી એકમાત્ર યુરોપીયન યુનીયનનાં સમૂહનોનો હીસ્સો ૧૦.૪૨ અજબ હતો, જયારે જંતુનાશકોના વિશ્વવ્યાપારરમાં ભારતનો હીસ્સો માત્ર ૧ અજબ ડોલર નો હતો. તેમનાં જણાવ્યાપ્રમાણે “વિશ્વની ખેતીમાટે ઉપયોગી જમીનની ૧0% જેટલી જમીન ભારત પાસે હોવા છતાં ભારતનું જંતુનાશકોનો ઉપયોગ કરવાનું પ્રમાણ માત્ર ૧% જેટલું જ છે. જયારે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં યુરોપીયન યુનીયનનો હીસ્સો ઘણો મોટો છે. યુરોપીયન યુનીયન આ ક્ષેત્રમાં પોતાની એક હથ્થુ સત્તા જાળવી રાખવા ઓછી કિમતનાં જંતુનાશક રસાયણો બનાવતા હરીફોને જ દૂર કરી નાખવા માંગે છે.
એન્ડોસલ્ફાનનો ઉપયોગ ૧૯૫૬થી જંતુનાશક / અષ્ટપાદ નાશક તરીખે થાય છે. એન્ડોસલ્ફાનનો ઉપયોગ ફળ, શાકભાજી અને સુશોભનનાં છોડ / વનસ્પતિ ઉપર સંર્પક જંતુનાશક તરીખે અને ચુસીયા પ્રકારની જીવાતો માટે તો (ઠંડા પ્રદાશોમાં)બરફની વર્ષા સમયે પણ થાય છે.
સીડની (ઑસ્ટ્રેલીયા) યુનીવર્સીટીનાં ખેતીવાડી વિભાગનાં પ્રોફેસર ઇવાન કેન્નડી કહે છે “એન્ડોસલ્ફાનનાં ઉપયોગ પરનો ભારત અને ઑસ્ટ્રેલીયા જેવા વિષુવૃતિય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં પ્રતિબંઘ કસમયનો અને ખેતી પેદાશો ઘટાડો કરાવશે, જેના પરિણામે ખાધ્યાનનો ભાવ વધારે રોકેટ વેગે થશે. જો કે ઉષ્ણકટીબંઘ અને ન્યુઝીલેન્ડ અને ઉત્તરી યુરોપના જીવાતોનાં ઓછા સંક્રમણ વાળા દેશોને આ પોષાઈ શકે તેમ છે. જયારે યોગ્ય વૈકલ્પીક વ્યવસ્થા અસ્તિત્વ ઘરાવતી ન હોય કે પ્રાપ્ત ન હોય ત્યારે આ પ્રકારનાં નિયમનું પાલન કરાવવુ એ બેજવાબદારી ભર્યુ કહેવાય" share more with us
બાઈનરી | ઓપટીમાઈજડ ફોર આઈ. ઈ. ૫.૦ એન્ડ ૧૦૨૪ X ૭૬૮ રીસલૂશન