મધમાખીની ખેતીમાં અગત્યતા અને મધમાખીની સલામતી માટે એન્ડોસલ્ફાનની ઉપયોગીતા.
તેલીબીયાનાં પાક, શાકભાજી, ફળનાં પાક, અને કેટલીક ખેત પેદાશોનાં પરાગનયનની ૯૦% જેટલી કામગીરીને માત્ર મધમાખી પર આધારીત હોય છે. છેલ્લા થોડા વર્ષોમાં મધમાખીની સંખ્યા / જથ્થામાં થયેલો મોટો ઘટાડો એ ચિતાનો વિષય છે. મધમાખીની સંખ્યામાં ઓચીતાજ થયેલો મોટો ધટાડાને સામુહીક ઘટાડાની અવ્યવસ્થા અથવા સામુદાઇક નાશની અવ્યવસ્થા Colony Collapse Disorder (CCD) તરીખે ઓળખવામાં આવે છે.
કુલ બેસવાનાં સમયે મધમાખીની (અને બીજા પરાગનયન કરનારા કીટકોની) સલામતી અંગેની સમજ મહત્મ ફાયદો મેળવવા માટે ખૂબજ જરૂરી છે. વ્યાખ્યા પ્રમાણેતો જંતુનાશકો કિટકો માટે હાનીકારક હોવા જોઇએ, પરંતુ કેટલાક જંતુનાશકોની મધમાખી ઉપર થતી અસરનું પ્રમાણ અલગ અલગ હોય છે.
આદર્શ જંતુનાશક હાનીકારક કિટકો સામે અસરકારક હોવા જોઇએ, પરંતુ પરાગનયન કરનારા અને બીજા કિટકો માટે સલામત પણ હોવા જોઇએ. મધમાખીની સંખ્યામાં થતાં સામુહીક ધટાડાની અવ્યવસ્થા Colony Collapse Disorder (CCD) ના સંદર્ભમાં એન્ડોસલ્ફાનની ચર્ચા આપણે અહી કરશું
.
મધમાખીથી થતાં ફાયદાઃ
મધમાખી બીજા પરાગનયન કરતાં કિટકોની સરખામણીમાં વધુ અસરકારક કિટક ગણાય છે. પરાગનયનમાં મધમાખીને કારણે પાકમાં અનેક ગણો વધારા થતો હોય છે જે નીચે દર્શાવવામાં આવ્યો છ
| મધમાખી દ્વારા થતા પરાગનયનથી ઉતારામ થતી પ્રતીશત ( % ) વૃઘ્ઘી |
| પાક |
ઉતારામાં વધારો
(% માં) |
પાક |
ઉતારામાં વધારો
(% માં) |
| સફરજન |
૧૮૦ થી ૬૯૫૦ |
રાઇ |
૧૨૮ થી ૧૭૮ |
| જામફળ |
૨૪0 થી ૬૦૧૪ |
રાયડો |
૧૨ થી ૧૩૯ |
| ચેરી |
૫૬ થી ૧000 |
સૂર્યમુખી |
૨૧ થી ૩૪૦૦ |
| સ્ટ્રોબેરી |
૧૭.૪ થી ૯૧.૯ |
નીગર |
૬૦.૭ થી ૧૭૩ |
| લીચી |
૪૫૩૮ થી ૧૦૨૪૬ |
બર્સીમ બીયાં |
૨૪.3 થી 33૧૫૦ |
| સંતરાં |
૪૭ થી ૯૦ |
ચણ માટેનાં ઘંઉ |
૬૨.૫ |
| લાબું વર્ગનાં ફળ |
૭ થી ૩૩.૩ |
ઇજીપ્સીયન કપાસ |
૧૬ થી ૨૪ |
| જમરૂખ |
૭૦ થી ૧૪૦ |
કોફી / બુંદ દાણા |
૧૬.૭ થી ૩૯.૮ |
માહિતીઃ ભારત સરકારનાં મઘમાખી વિભાગ (National Bee Board, Govt. of India) નાં પ્રકાશીત આંકડાના આઘારે.
મધમાખી દ્વારા થતા પરાગનયનથી થતા આર્થીક ફાયદાનો અંદાજ વિવિઘ દેશો માટે નીચે પ્રમાણે છે.
| દેશ |
અંદાજત આર્થીક ફાયદો |
માહિતી સ્ત્રોત |
| અમેરિકા |
૧૪.૬ અબજ અમેરિકન ડોલર |
મોર્સ અને કલેડરો ૨00 |
| કેનેડા |
૧.૨ કેનેડીયન ડોલર |
વિન્સ્ટન અને સ્કોટ ૧૯૮૪ |
| પૂર્વ યુરોપનાં દેશોનો સમૂહ |
૩.0 અબજ અમેરિકન ડોલર |
વિલીયમસ ૧૯૯૨ |
| ન્યુઝીલેન્ડ |
૨.૩ અબજ અમેરિકન ડોલર |
મથેસાન અને સેંડર ૧૯૮૭ |
| ભૂમધ્ય સમુદ્રનાં 20 દેશનો સમૂહ |
૫.૨ અબજ અમેરિકન ડોલર |
કાડેરોટ ૧૯૯૨ |
| વિકાસશીલ દેશો |
૩.૨ અબજ અમેરિકન ડોલર |
કાડેરોટ ૧૯૯૨ |
| ચીન |
0.૭ અબજ અમેરિકન ડોલર |
ચેન ૧૯૯૩ |
જંતુનાશકો અને મધમાખીઃ
સામાન્ય રીતે કિટ નિયંત્રણ માટે વપરાતા જંતુનાશકો પરાગનયન માટે ઉપીયોગી મધમાખી માટે પણ નુકશાનકારક હોય છે. જયારે આ જંતુનાશકો વિકસી રહેલા કુલ બેઠેલા પાક ઉપર છાંટવામાં આવે છે ત્યારે તે મઘમાખીને પણ મારતું હોય છે. આના પરિણામે ઓછું પરાગનયન થાય છે. અને પાકનો ઉતારો ધટે છે. આથી કુલ બેઠેલા પાક ઉપર છાંટવામાં આવતા જંતુનાશક મધમાખી માટે ઓછા હાનીકારક હોય તે અતીસય જરૂરી બાબત છે. સંશોઘન લેખ “Effect of insecticides on the incidence of honey bee, Apis cerena Indica Fab. On mustard bloom under semi – Arid region of region of Rajasthan” Madras Agric. J. 91 (7-12): 430-432. I.S. Gour & B. L. Pareek, 2004. માં વિવિધ જંતુનાશકોની મધમાખી માટેની સલામતી અંગેની દર્શાવવામાં આવી છે.
આ સંશોઘન પત્રમાં દર્શાવવામાં આવેલ માહીતી ઉપર થી જાણી શકાય છે કે પરીક્ષણમાં સામેલ કરવામાં આવેલા જંતુનાશકો પૈકી એન્ડોસલ્ફાન મધમાખી માટે સહુથી ઓછો હાનીકારક જંતુનાશક છે. હકીકતમાં એન્ડોસલ્ફાન લીમડાનાં અકે પછીનું સ્થાન ધરાવતો સહુથી સલામત જંતુનાશક છે. હાલમાં જ શોઘાયેલા નવા જંતુનાશક – નિયોનીકોટીનાઇટ મધમાખી માટે સહુથી વધુ હાનીકારક જંતુનાશક સાબીત થયા છે.
મધમાખી ચિરંજીવ કૃષી માટે એક એક અગત્યનું કીટક છે અને તેથી મધમાખીનું સંરક્ષણ અતી અગત્યનું પરીબળ છે. આમ એન્ડોસલ્ફાન જેવા સલામત જંતુનાશકોનો ઉપયોગ કૃષીમાટે અતી મહત્વ ઘરાવે છે જેથી મઘમાખી જેવા પરાગનયન માટે ઉપયોગી કીટકોની વસ્તી ઘટવા પામે.
. |